માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના નિયમો દર્શાવતા બેનર સાથે "ટ્રાફિક ક્રાઈસ્ટ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ઓપન રાજકોટ ઇન્ટર સ્કુલ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ ક્રીસેન્ડો ૨૦૧૩ મા ધો. ૯ થી ૧૨ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું.
રસાકસી ભરેલ ફાઈનલ મેચમાં વિરાણી હાઇસ્કુલ ગ્રાન્ટેડ વિભાગની ટીમ રનર્સઅપ થયેલ છે. જેમાં કેપ્ટન જય ડોડીયાએ ફાઈનલ મેચમાં હેટ્રિક વિકેટ લીધેલ હતી અને કોચ તરીકે વિશાલ રાચ્છે સેવા આપેલ હતી તેમને શાળાનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા ટ્રસ્ટ પ્રમુખ જયંતભાઈ દેસાઈ તથા મંત્રી શ્રેયસભાઇ વિરાણીએ અભિનંદન પાઠવ્યા છે. વર્ષ નો છેલ્લો દિવસ કે જયારે બધા નવા વર્ષને આવકારવા મા મશગુલ છે ત્યારે શાળાનાં બાળકો દ્વારા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે...
શાળાનાં વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ દર્શન કાર્યક્રમ અંતર્ગત બોરદેવી ના પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ...ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બે દિવસના રોબોટીક્સ વર્કશોપનું આયોજન કરેલ જેમાં પ્રથમ દિવસે પ્રોજેક્ટર દ્વારા માહિતી અપાયેલ અને ત્યાર બાદ મેન્યુઅલ રોબોટ ડીઝાઈન ની તાલીમ અપાયેલ.. ચમત્કાર ચકાસણી કેન્દ્ર અમરેલીના પ્રમુખ શ્રી શંભુભાઈ વાળા ઉમર વર્ષ 72 દ્વારા અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં તેમણે વિવિધ પ્રયોગો જેવા કે હવામાં ધૂપ ઉત્પન્ન કરવો, જીભ આરપાર ત્રિશુલ પસાર કરવું. સળગતો કાકડો શરીર પર ફેરવવો, મોઢામાં અગ્નિ મુકવો,નાળીયેર માંથી ચુંદડી કાઢવી, કાચની બોટલમાં સિક્કા ઉતારવા, લોખંડની બેડી ખોલવી, હવામાં ચોખામાંથી મમરા બનાવવા,સિક્કા ગુમ કરવા, એકજ સિક્કામાંથી પાંચ છ સિક્કા ઉત્પન્ન કરવા, ખાલી થેલીમાંથી પૈસા અનેક ગણા કરવા, ઘરેણા એકના ડબલ કરવા. જેવા અનેક વિધ પ્રયોગો રજુ કાર્ય હતા. જે વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર નિહાળ્યા હતા કાર્યક્રમને અંતે શ્રી શંભુભાઈ વાળાએ દરેક પ્રયોગની વૈજ્ઞાનિક રીતે સમજુતી આપી હતી અને હાથ ચાલાકીના પ્રયોગો વિદ્યાર્થીઓને શીખવ્યા હતા. સૌરાષ્ટ્ર માં અંધશ્રધ્ધા નું પ્રમાણ ઘણું વધારે છે, ત્યારે આ પ્રકારના જન જાગૃતિ ના કાર્યક્રમો જરૂરી છે. તેમ જણાવી વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જયંતભાઈ દેસાઈ તથા આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયાએ શ્રી શંભુભાઈ વાળાની આ સેવાને બિરદાવી હતી. |